મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં લીડ લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના… Continue reading દક્ષિણ ગુજરાતના લાભાર્થીને જુદી જુદી સહાયનું વિતરણ
Month: January 2020
પીએસઆઇ ચાવડા સાપરાધ મનુષ્ય વધ ગુના સાથે સસ્પેન્ડ
રાજકોટ શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ગઇકાલે પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ… Continue reading પીએસઆઇ ચાવડા સાપરાધ મનુષ્ય વધ ગુના સાથે સસ્પેન્ડ
ગુજરાતના તમામ પૂર્વ ધારાસભ્યોએ રૂપાણી સરકાર સામે ચડાવી બાયો
એક્સ એમએલએ કાઉન્સિલ ગુજરાતના ચેરમેન બાબુભાઇ મેઘજી શાહે જાહેરાત કરી છે કે, આગામી ૨૭ જાન્યુઆરીના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. તેમની મુખ્ય માંગ છે કે, ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ. ગુજરાતના ૧૦૦થી વધુ પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ દયનિય છે, ત્યારે તેમને જીવન નિર્વાણ માટે માનદ ભથ્થું આપવું જોઈએ. એટલું જ નહીં… Continue reading ગુજરાતના તમામ પૂર્વ ધારાસભ્યોએ રૂપાણી સરકાર સામે ચડાવી બાયો
સુભાષબ્રિજમાં ગંદકી બદલ બે કોમ્પ્લેક્ષની ૧૦૦ દુકાનો સીલ
સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે. ઉત્તરાયણના બીજા દિવસથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજે સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં પુષ્કળ ગંદકી કરવા… Continue reading સુભાષબ્રિજમાં ગંદકી બદલ બે કોમ્પ્લેક્ષની ૧૦૦ દુકાનો સીલ
કેબિનેટ મંત્રી રાદડિયા અને ટોલ કર્મીઓ વચ્ચે માથાકૂટ
ગોંડલના રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ભરૂડી ટોલ પ્લાઝા પર કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ ટોલ કર્મચારીઓને લાંબી લાઇન ક્લિયર કરાવવા માટે ટકોર કરી હતી. જેના કારણે માથાકુટ થઇ હતી. આ બબાલને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી… Continue reading કેબિનેટ મંત્રી રાદડિયા અને ટોલ કર્મીઓ વચ્ચે માથાકૂટ
વોટ બેંક માટે ઘણા નેતા સીએએનો વિરોધ કરી રહ્યા છે ઃ અમિત શાહ
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નાગરિકતા કાનૂન (સીએએ) પર સંસદમાં ચર્ચા કરવાની માંગ વચ્ચે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, કેટલાક લોકો વોટ બેંક માટે આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. શાહએ રેલી દરમિયાન કહ્યું હતું કે, સીએએને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સીએએના વિરોધને લઇને લાલૂ પ્રસાદ યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી… Continue reading વોટ બેંક માટે ઘણા નેતા સીએએનો વિરોધ કરી રહ્યા છે ઃ અમિત શાહ
ભારતીય વિચાર ગતિશીલ, વિવિધતા વાળો છે ઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, નફરત, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુÂક્તની રાહ જાઈ રહેલી દુનિયા માટે ભારતીય જીવન શૈલી આશાની કિરણ છે. તેમણે કહ્યું હતું કે, સંઘર્ષોને તાકાતની જગ્યાએ વાતચીતની શÂક્તથી ટાળવાની ભારતીય શૈલી છે. આઈઆઈએમ કોઝીકોડેમાં ગ્લોબલાઇઝિંગ ઇÂન્ડયન થોટ વિષય પર બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, સદીઓથી ભારતની ધરતીએ દુનિયાનું સ્વાગત કર્યું… Continue reading ભારતીય વિચાર ગતિશીલ, વિવિધતા વાળો છે ઃ મોદી
દેવિન્દરની પુછપરછ ઃ ઘણા નવા ચોંકાવનારા ધડાકા થયા
જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનમાં સક્રિય ખતરનાક ત્રાસવાદી સંગઠન હિઝબુલના ત્રાસવાદીઓને પોતાની કારમાં જમ્મુ લઇ જતી વેળા ઝડપાઇ ગયેલા જમ્મુ કાશ્મીર પોલીસના બરખાસ્ત ડીએસપી દેવિન્દર સિંહની પુછપરછ કરવામાં આવી રહી છે. દેવિન્દરની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. દેવિન્દરે આરોપ કરતા કહ્યુ છે કે પોલીસ દળમાં તૈનાત રહેલા અન્ય એક પોલીસ અધિકારી ત્રાસવાદીઓ માટે… Continue reading દેવિન્દરની પુછપરછ ઃ ઘણા નવા ચોંકાવનારા ધડાકા થયા
જમ્મુ કાશ્મીર ઃ જૈશના ૫ આતંકવાદી ઝડપાઇ ગયા
૨૬ જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે હાથ ધરેલી એક મોટી કાર્યવાહીમાં આ આતંકીઓ શ્રીનગરના હજરતબલ વિસ્તારથી ધરપકડ કરાયા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ આતંકીઓના… Continue reading જમ્મુ કાશ્મીર ઃ જૈશના ૫ આતંકવાદી ઝડપાઇ ગયા
ભુવનેશ્વર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી, ૪૦ ઘાયલ
ઓરિસાના કટક વિસ્તારમાં ગુરૂવારે સવારે ગાઢ ધૂમ્મસના પગલે મુંબઇ-ભુવનેશ્વર ટ્રેન આગળ ઊભેલી એક માલગાડી સાથે ટકરાઇ જતાં ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૪૦ ઉતારુને નાનીમોટી ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હાÂસ્પટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કટક પાસે આવેલા નરગુંડી રેલવે સ્ટેશને મુંબઇ-ભુવનેસ્વર લોકમાન્ય ટિળક ટ્રેને એજ ટ્રેક પર આગળ ઊભેલી એક માલગાડીને જારદાર… Continue reading ભુવનેશ્વર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી, ૪૦ ઘાયલ